વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી આગામી નેવી ચીફ : 40 વર્ષની લાંબી કારકિર્દીમાં મહત્ત્વપૂર્ણ અભિયાનોનું નેતૃત્વ કર્યું
- 19 Apr, 2024
કેન્દ્ર સરકારે વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીને આગામી નેવી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 એપ્રિલે તેમનું નવું પદ સંભાળશે. હાલમાં વાઇસ એડમિરલ ત્રિપાઠી નૌકાદળના વાઇસ ચીફ છે. આ પહેલા તેઓ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ હતા.
તેમની લગભગ 40 વર્ષની લાંબી કારકિર્દીમાં તેઓ ઘણા મહત્ત્વપૂર્ણ અભિયાનો સાથે જોડાયેલા રહ્યા છે.15 મે 1964ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી 1 જુલાઈ 1985ના રોજ નેવીમાં જોડાયા હતા. તે રીવાની સૈનિક સ્કૂલ, અને ખડગવાસલામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે.
દિનેશ ત્રિપાઠી કોમ્યુનિકેશન્સ અને ઈલેક્ટ્રોનિક વોરફેર એક્સપર્ટ છે અને તેમણે સિગ્નલ કોમ્યુનિકેશન ઓફિસર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ઓફિસર તરીકે એડવાન્સ્ડ નેવલ શિપ પર સેવા આપી છે. વાઈસ એડમિરલને નોંધપાત્ર અને પ્રશંસનીય કાર્ય માટે અતિ વિશિષ્ટ સેવા મેડલ અને નેવી મેડલ એનાયત કરવામાં આવ્યા છે. સંચાર અને ઈલેક્ટ્રોનિક યુદ્ધના નિષ્ણાત ત્રિપાઠીએ અદ્યતન નૌકા જહાજો પર સિગ્નલ કોમ્યુનિકેશન ઓફિસર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ઓફિસર તરીકે સેવા આપી છે.
ત્યારબાદમાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS મુંબઈના એક્ઝિક્યુટિવ ઓફિસર અને પ્રિન્સિપલ વોર ઓફિસર તરીકે સેવા આપી હતી. તેમણે આઈએનએસ વિનાશ, કિર્ચ અને ત્રિશુલને પણ કમાન્ડ કર્યા છે. તેમની પત્ની શશી ત્રિપાઠી એક કલાકાર અને હોમ મેકર છે. તેમનો પુત્ર વકીલ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ